KUTCH NEWS

મુન્દ્રા ધોરીમાર્ગ પર અલ્ટો અને ક્રેટા કાર વચ્ચે જોરદાર ટક્કર, બે યુવકના મૃત્યુ

પશ્વિમ કચ્છના ઔધોગિક પંથક મુન્દ્રા વિસ્તારમાં ગત રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી, જેમાં સામ સામે બે કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. આ અકસ્માતમાં ક્રેટા કારમાં સવાર બે યુવકોને સારવાર મળે તે પહેલા જ કરુણ મૃત્યુ નિપજયા હતા. બનાવની ખબરથી અરેરાટી ફેલાઈ છે. ઘટના અંગે મુન્દ્રા મરીન પોલીસે અકસ્માતની પ્રાથમિક …

Read More »

રાપરમાં પીએમ મોદીના હસ્તે આવાસ યોજનાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

રાપરના ચિત્રોડ રોડ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલમાં આજે આયોજિત ઇ- લોકાર્પણનો કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પરોક્ષ હાજરી વચ્ચે યોજાયો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇ- લોકાર્પણનો કાર્યક્રમ પીએમ મોદીના હસ્તે યોજાયો હતો જેમાં લોકોની ભારે સંખ્યા જોવા મળી હતી. આ વેળાએ તંત્રના આયોજન હેઠળ પીએમ …

Read More »

કેન્દ્ર સરકાર અને રાજ્યસરકારની વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન માટે સ્પોર્ટસમીટનું આયોજન કરાયું

પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા ભુજ ખાતે બોર્ડરવિંગના ઉપક્રમે પોલીસ સ્પોર્ટસ મીટ 2024નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.આ ઇવેન્ટમાં 20થી વધુ રમતોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં કેન્દ્ર અને રાજ્યસરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ ભાગ લેશે.આ સ્પોર્ટસ મિટ સાથે સમાજ માટે જાગૃતી માટેના કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવેલ છે.આજે ગુજરાતના …

Read More »

કચ્છના કિસાનો ભુજમાં વિશાળ રેલી યોજી, નર્મદાના પાણી સહિતના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું

ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે ભુજ શહેરના ટીન સીટી ખાતે વિશાળ સભા યોજી નર્મદાના પૂરતા પાણી સહિતના મુદ્દાઓ અંગે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાંથી આવેલા ખેડૂત પરિવારના ભાઈ બહેનો ખુલ્લા મેદાનમાં બેસી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થ સંઘના આગેવાનોએ કિસાનોને પજવતા પ્રશ્નો અંગેની વાત …

Read More »

મુફ્તી સલમાન આઝહરી ને જૂનાગઢ થી કચ્છ લાવવામાં આવ્યા : ભચાઉ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા

કચ્છના પ્રવેશદ્વાર સમા સામખીયાળીમાં ગત 31ના દિવસે આયોજિત તકરીરના ધાર્મિક આયોજન દરમિયાન મુંબઈના મુફ્તી સલમાન અઝહરીએ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવ્યા બાદ સામખીયાળી પોલીસે મૌલાના અઝહરી અને કાર્યક્રમની મંજૂરી મેળવનાર ગુલશને મહોમ્મદી ટ્રસ્ટના શિક્ષક ગુલામખાન મોર સામે વિવિધ કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. …

Read More »

ભુજમાં વાણીયાવાડ પાસેથી રીક્ષા સ્ટેન્ડ હટાવાતા રીક્ષાચાલકોએ પાઠવ્યુ આવેદનપત્ર

ભુજ શહેરના વાણીયાવાડ નાકા પાસે આવેલ રીક્ષાસ્ટેન્ડમાં રીક્ષા પાર્ક કરવાની ટ્રાફીક પોલીસ દ્વારા મનાઇ કરવામાં આવતા ભુજના રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.આ રીક્ષા ચાલકોના જણાવ્યા મુજબ ભુજના વાણીયાવાડ નાકા પાસે આવેલ રીક્ષા સ્ટેન્ડ 2004માં રદ કરવામાં આવેલ પણ ત્યાં બાકી રહેતી જગ્યામાં રીક્ષા ચાલકો રીક્ષા પાર્ક કરીને ધંધો કરતા હતા …

Read More »

કચ્છમાં ભડકાઉ ભાષણ મામલે આયોજકની ધરપકડ

કચ્છના પ્રવેશદ્વાર સમા ભચાઉ તાલુકાના સામખિયાળી ગામે ગત તા.31ના રોજ ગુલશન-એ મહંમદી ટ્રસ્ટના નેજા હેઠળ જાહેર તકરીરનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, તે દરમિયાન મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરીએ જાહેર મંચ પરથી ભડકાઉ ભાષણ આપ્યું હોવાનું સામે આવતા ગઈકાલે સામખિયાળી પોલીસે ખુદ ફરિયાદી બની, મૌલાના અઝહરી તથા ટ્રસ્ટના શિક્ષક મામદખાન મુર …

Read More »

કચ્છ જિલ્લાની મહિલા ખેડૂતો માટે નાની નાગલપર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો

આત્મા પ્રોજેક્ટ, કચ્છ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને સફળતાપૂર્વક પાર …

Read More »

લખપતના સાંભળા માર્ગે પવનચક્કીની પાંખ સાથેનું મહાકાય ટ્રેલર તળાવમાં ખાબકયું, જાનહાની ટળતા રાહત

જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના સાંભળા ગામ નજીક આજે પરોઢે માર્ગ અકસ્માતની ઘટના બની છે. મહાકાય ટ્રેલર ઉપર પવનચક્કીની તોતિંગ પાંખ લઈ જતું વાહન બેકાબુ બની જતા નજીકના તળાવમાં ખાબકી પડ્યું છે. નંબર પ્લેટ વગરના ટ્રેલરની ચાલક કેબીન માર્ગ ઉપર રહી જતા કોટડા મઢ તરફરનો માર્ગ મોટા વાહન માટે બંધ …

Read More »

ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ ગાંધીધામ ખાતે યોગનો અમૃતકાળ “ગામે ગામ યોગ ઘરે ઘરે યોગ” અભિયાન હેઠળના બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી યોગસેવક શિશપાલજીએ જણાવ્યું હતું કે, યોગએ સ્વાસ્થ્યની કુંજી છે. આજે …

Read More »
Translate »
× How can I help you?