Breaking News

KUTCH NEWS

કચ્છ જિલ્લાની મહિલા ખેડૂતો માટે નાની નાગલપર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજવામાં આવ્યો

આત્મા પ્રોજેક્ટ, કચ્છ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પધ્ધતિનો વ્યાપ વધે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી વધે તથા ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્પાદનમાં વધારો થાય તથા ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનને સફળતાપૂર્વક પાર …

Read More »

લખપતના સાંભળા માર્ગે પવનચક્કીની પાંખ સાથેનું મહાકાય ટ્રેલર તળાવમાં ખાબકયું, જાનહાની ટળતા રાહત

જિલ્લાની છેવાડે આવેલા લખપત તાલુકાના સાંભળા ગામ નજીક આજે પરોઢે માર્ગ અકસ્માતની ઘટના બની છે. મહાકાય ટ્રેલર ઉપર પવનચક્કીની તોતિંગ પાંખ લઈ જતું વાહન બેકાબુ બની જતા નજીકના તળાવમાં ખાબકી પડ્યું છે. નંબર પ્લેટ વગરના ટ્રેલરની ચાલક કેબીન માર્ગ ઉપર રહી જતા કોટડા મઢ તરફરનો માર્ગ મોટા વાહન માટે બંધ …

Read More »

ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજરોજ ગાંધીધામ ખાતે યોગનો અમૃતકાળ “ગામે ગામ યોગ ઘરે ઘરે યોગ” અભિયાન હેઠળના બે દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી યોગસેવક શિશપાલજીના અધ્યક્ષસ્થાને યોગસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી યોગસેવક શિશપાલજીએ જણાવ્યું હતું કે, યોગએ સ્વાસ્થ્યની કુંજી છે. આજે …

Read More »

ભચાઉના રેલવેનાળાથી બોર્ડિંગ માર્ગે પર પગપાળા જતા એસઆરપી જવાનનું મૃત્યુ, પોલીસે તપાસ હાથ ધરી

ભચાઉ નગરની ભાગોળે આવેલા બોર્ડિંગ વાળા માર્ગે આજે સવારે નજીકની એસઆરપી કેમ્પસમાં રહેતા અને એએસઆઈ તરીકે ફરજ બજાવતા મૂળ ધોલેરાનાં 54 વર્ષીય વાસુદેવ જી ચુડાસમાં મૃત હાલતમાં મળી આવતા ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે. પગપાળા જતા હતભાગીના મૃતદેહ પાસેથી બેકપેક પણ મળી આવી હતી.આ અંગે ભચાઉ પોલીસ દફતરના પીએસઓ …

Read More »

કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભુજ લાલન કોલેજ ખાતે જિલ્લાકક્ષાના ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની ઉજવણી કરાઇ

ભુજના લાલન કોલેજ ખાતે આજરોજ કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા કલેકટરશ્રી અમિત અરોરાએ યુવા મતદાઓને મતદાનનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે જાગૃત મતદાતાની ભૂમિકા સમજાવતા …

Read More »

ભુજ ખાતે યોજાયેલી જિલ્લાની દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં ૧૭૧ કેસોની સ્થળ પર સુનાવણી કરાઈ

ભુજ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનોના પ્રશ્નોના નિવારણ અર્થે કોર્ટ ઓફ કમિશનરશ્રી વી.જે.રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વી.જે.રાજપૂતે દિવ્યાંગજનોને તેમના હક્કો વિશે અવગત કરાવતાં જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને તેમની ફરિયાદ સંદર્ભે તેમનાં ઘરઆંગણે ન્યાય મળી શકે અને કોઇ મુશ્કેલી ન પડે તે હેતુથી મોબાઈલ કોર્ટનું આયોજન …

Read More »

અદાણી પોર્ટ્સ, મુન્દ્રા ખાતે એક જ જહાજ પર 16,596 કન્ટેનર હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ બનાવ્યો

વૈવિધ્યસભર અદાણી ગ્રૂપમાં એક નોંધપાત્ર એન્ટિટી તરીકે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે, જે ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે., APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં સતત કુશળતા …

Read More »

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને ૨૬ જાન્યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન બાબતે સમીક્ષા બેઠક યોજાઈ

કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તા.૨૬ જાન્યુઆરી, ‘પ્રજાસત્તાક પર્વ’ની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાપર ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સરકારી ઈમારતોની રોશની, કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ, સાફ …

Read More »

‘ચારણી સાહિત્યનું વર્તમાન પરિપ્રેક્ષ્ય અને સંવર્ધન’ વિષય પર કચ્છ યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદનું આયોજન

કેન્દ્રિય પશુપાલન, ડેરી અને મત્સ્યોઉદ્યોગ મંત્રીશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ ક્રાંતિગુરૂ શ્યામજીકૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે હમીરજી રત્નુ લોક સાહિત્ય કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાષ્ટ્રીયકક્ષાના ચારણી સાહિત્ય પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલાએ કચ્છ યુનિવર્સિટી પરિસરમાં રાજકવિશ્રી હમીરજી રત્નુની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રિય મંત્રીશ્રી …

Read More »

આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે પ્રારંભ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં પશુપાલકોની ચિંતા કરી અનેક નવી યોજનાઓ અમલી કરી પશુપાલક સમાજને અનેક નવી ભેટો આપી છે. પશુઓનું વેક્સિનેશન, ઝડપી સારવાર માટે ૧૯૬૨ની એમ્બ્યુલન્સ સેવા, દૂધ ઉત્પાદનના ઊંચા ભાવ સહિતના પગલાના કારણે દેશના પશુપાલકો આર્થિક રીતે પગભર થયા છે તેવું આજરોજ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે કચ્છ …

Read More »
Translate »