રેલવેના ભાડામાં કોને મળે છે કેટલી છૂટ નિયમોની જાણકારી

રેલવેના ભાડમાં કોને અને કેટલી છૂટ મળી શકે છે.

સંશોધન માટે યાત્રા કરના 35 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિને સેકન્ડ અને સ્લીપર ક્લાસમાં 50 ટકા ભાડામાં છૂટ આપવામાં આવે છે. સાથે જ વિદેશથી અભ્યાસ કરવા ભારતમાં આવેલા વિદ્યાર્થી સરકારી કાર્યક્રમ કે ઐતિહાસિક સ્થળે જવા યાત્રા કરે છે તો તેને સેકન્ડ અને સ્લીર ક્લાસમાં 50 ટકાની છૂટ મળે છે. જ્યારે UPSC અને સ્ટાફ સિલેક્શન કમીશનની મેન્સ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સેકન્ડ ક્લાસમાં 50 ટકાની ભાડામાં છૂટ મળે છે. સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને શિક્ષણ કે ઘરે જવા માટે સ્લીપર અને સેકન્ડ ક્લાસમાં 50 ટકા અને QST તેમજ MSTમાં 50 ટકા છૂટ આપવામાં આવે છે.

સરકારી વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેના પ્રવાસ અંગે વર્ષમાં એક વખત સેકન્ડ ક્લાસમાં 75 ટકાની છૂટ આપવામાં આવે છે. આ સિવાય એન્જિનિયરિંગ, મેડિકલની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટે માટે પણ 75 ટકાની ભાડામાં છૂટ મળે છે. તો SC અને ST કેટેગરી માટે સેકન્ડ ક્લાસ અને SL ક્લાસમાં 75 ટકા છૂટ મળે છે. સાથે જ QST અને MSTમાં પણ 75 ટાકની છૂટ આપવામાં આવે છે.

 

About chanchal bhuj bhuj

Check Also

ન્યુયોર્કમાં મેક્સિકન નેવીનું જહાજ બ્રિજ સાથે અથડાયું, 19 ઈજાગ્રસ્ત, 2ના મોત

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે (17 મે) સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હકીકતમાં મેક્સિકન નૌકાદળનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?