ગટરમાં પ્રવેશવા માટે ઉતારવામાં આવે અને તે દરમિયાન તેનું મોત થઈ જાય તો તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર અથવા સરપંચ જવાબદાર ગણાશે.

જો કોઈ પણ વ્યક્તિને ગટરની સફાઇના હેતુથી મેનહોલ અથવા ગટરમાં પ્રવેશવા માટે ઉતારવામાં આવે અને તે દરમિયાન તેનું મોત થઈ જાય તો તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર અથવા સરપંચ જવાબદાર ગણાશે.

એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં ઘણા મેનહોલ કામદારો પોતાનો જીવ ગુમાવે છે અને મૃત્યુના કિસ્સામાં યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરે છે, તેના જવાબમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ જે દેસાઈ અને ન્યાયમૂર્તિ બિરેન વૈશવની ખંડપીઠે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે તેણે સુનાવણીની આગામી તારીખ સુધી આ પ્રથા તાત્કાલિક બંધ કરવી જોઈએ. 19 જૂનના રોજ. ખંડપીઠે જણાવ્યું હતું કે, “અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે જો કોઈ પણ કામદાર – જેની સેવાનો લાભ મ્યુનિસિપલ કોર્પોરેશન, અથવા નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવે છે – તેને સંબંધિત વિસ્તારોમાં ગટરના ગંદા પાણીને સાફ કરવા માટે કહેવામાં આવે છે, સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અથવા પાલિકાના ચીફ ઓફિસર અને સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચને કાર્યવાહી માટે જવાબદાર ઠેરવવામાં આવશે કારણ કે 2014 ના સરકારી ઠરાવ દ્વારા, આવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એનજીઓ માનવ ગરિમાએ એવી પણ ફરિયાદ કરી હતી કે ઘણા એવા પણ કિસ્સામાં કે જેમાં મજૂરોને ગટરો સાફ કરાવવા માટે અંદર ઉતારવામાં આવ્યાં હોય અને તેમના મોત થયાં હતા આવા કિસ્સામાં તેમનું પુરું વળતર પણ મળ્યું નથી.

સરકારે હાઇકોર્ટને માહિતી આપી હતી કે આવા 152 કેસોમાંથી 137 કેસોમાં વળતરની રકમની વહેંચણી કરવામાં આવી છે.
હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો કે, આગામી સુનાવણીની તારીખ સુધીમાં મૃતક કામદારોના કાનૂની વારસદારોને વળતર ચૂકવવામાં આવે.

સોમવારે સુનાવણી દરમિયાન એસીજે દેસાઈએ કહ્યું હતું કે, “આ પ્રકારની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવી જરૂરી છે. રાજ્ય સરકારે એવી રજૂઆત કરી હતી કે સરકારી સંસ્થાઓ – મ્યુનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો – આવી પ્રથામાં સામેલ થતી નથી, પરંતુ આ ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવે છે. જ્યારે અરજદારના એડવોકેટે રજૂઆત કરી હતી કે આવા કેસોમાં એફઆઈઆર દાખલ થવી જોઈએ, ત્યારે જસ્ટીસે સરકારને સવાલ કર્યો હતો કે, શું તમે કોઈ મ્યુનિસિપલ કમિશનર અથવા પાલિકાના કોઈ ચીફ ઓફિસર સામે કાર્યવાહી કરી છે? કોર્ટે વધુમાં પૂછ્યું હતું કે શું ટોચના અધિકારીઓ આવી પ્રથાઓને રોકવા માટે કોઈ કાર્યવાહી કરે છે.

 

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »