Breaking News

રેલવેના ભાડામાં કોને મળે છે કેટલી છૂટ નિયમોની જાણકારી

રેલવેના ભાડમાં કોને અને કેટલી છૂટ મળી શકે છે.

સંશોધન માટે યાત્રા કરના 35 વર્ષની ઉંમર સુધીના વ્યક્તિને સેકન્ડ અને સ્લીપર ક્લાસમાં 50 ટકા ભાડામાં છૂટ આપવામાં આવે છે. સાથે જ વિદેશથી અભ્યાસ કરવા ભારતમાં આવેલા વિદ્યાર્થી સરકારી કાર્યક્રમ કે ઐતિહાસિક સ્થળે જવા યાત્રા કરે છે તો તેને સેકન્ડ અને સ્લીર ક્લાસમાં 50 ટકાની છૂટ મળે છે. જ્યારે UPSC અને સ્ટાફ સિલેક્શન કમીશનની મેન્સ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને સેકન્ડ ક્લાસમાં 50 ટકાની ભાડામાં છૂટ મળે છે. સામાન્ય કેટેગરીના વિદ્યાર્થીઓને શિક્ષણ કે ઘરે જવા માટે સ્લીપર અને સેકન્ડ ક્લાસમાં 50 ટકા અને QST તેમજ MSTમાં 50 ટકા છૂટ આપવામાં આવે છે.

સરકારી વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેના પ્રવાસ અંગે વર્ષમાં એક વખત સેકન્ડ ક્લાસમાં 75 ટકાની છૂટ આપવામાં આવે છે. આ સિવાય એન્જિનિયરિંગ, મેડિકલની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા માટે માટે પણ 75 ટકાની ભાડામાં છૂટ મળે છે. તો SC અને ST કેટેગરી માટે સેકન્ડ ક્લાસ અને SL ક્લાસમાં 75 ટકા છૂટ મળે છે. સાથે જ QST અને MSTમાં પણ 75 ટાકની છૂટ આપવામાં આવે છે.

 

About chanchal bhuj bhuj

Check Also

ઈરાનના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. ઈરાનની સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »