Breaking News

સુરત એરપોર્ટ 2018માં ઉડેલી 28 ફ્લાઇટ હવે માત્ર 14 રહી ગઈ, કોલકાતાની વધુ એક ફ્લાઇટનું ઓપરેશન બંધ

27 ડિસેમ્બર-2018એ એક દિવસમાં સુરત એરપોર્ટ ઉપરથી 28 ફ્લાઇટો ટેકઓફ કર્યું હતું, જે આજે ઘટીને માત્ર 14 થઇ ગઇ છે. તા. 23 ડિસેમ્બર-2022ના રોજ સુરત એરપોર્ટ ઉપરથી માત્ર 14 ફ્લાઇટે જ ટેકઓફ કર્યું છે, તેમા પણ હવે 1 ફ્લાઇટ ઓછી થશે. સુરત-કોલકાતાને જોડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 25 ડિસેમ્બરથી બંધ કરી દેવાશે. કોવિડ પહેલા 12થી વધુ શહેરો સાથે સેવા હતી. જે હવે 8 ઉપર આવી પહોંચી છે. 28 ફ્લાઇટ ઉડતી હતી ત્યારે પેસેન્જરો આંકડો 1.50 લાખને પાર કરી ગયો હતો, જે હાલમાં ઘટીને 1 લાખથી પણ ઓછો થઇ ગયો છે.

About chanchal bhuj bhuj

Check Also

દાહોદ મનરેગા કૌભાંડ : મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?