27 ડિસેમ્બર-2018એ એક દિવસમાં સુરત એરપોર્ટ ઉપરથી 28 ફ્લાઇટો ટેકઓફ કર્યું હતું, જે આજે ઘટીને માત્ર 14 થઇ ગઇ છે. તા. 23 ડિસેમ્બર-2022ના રોજ સુરત એરપોર્ટ ઉપરથી માત્ર 14 ફ્લાઇટે જ ટેકઓફ કર્યું છે, તેમા પણ હવે 1 ફ્લાઇટ ઓછી થશે. સુરત-કોલકાતાને જોડતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 25 ડિસેમ્બરથી બંધ કરી દેવાશે. કોવિડ પહેલા 12થી વધુ શહેરો સાથે સેવા હતી. જે હવે 8 ઉપર આવી પહોંચી છે. 28 ફ્લાઇટ ઉડતી હતી ત્યારે પેસેન્જરો આંકડો 1.50 લાખને પાર કરી ગયો હતો, જે હાલમાં ઘટીને 1 લાખથી પણ ઓછો થઇ ગયો છે.
