શિવસેનાના ચૂંટણી ચિન્હ, ધનુષ અને તીરને ફ્રીઝ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકારવાના મામલે આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી બાદ દિલ્હી હાઈકોર્ટે ઉદ્ધવ ઠાકરે જૂથની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
ઉદ્ધવ ઠાકરે વતી એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું હતું કે, “ચૂંટણી પંચે અમારી વાત સાંભળ્યા વિના અમારા પક્ષના ચિન્હને સીલ કરી દીધું. આજ સુધી ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું નથી. હાઈકોર્ટની સિંગલ બેન્ચે કહ્યું હતું કે પ્રાથમિક વાંધો સાંભળી ન શકાય એવો ચુકાદો. હાઈકોર્ટની આ ટિપ્પણી પર સ્પષ્ટતા જોઈએ છે. કોર્ટ આવું કેવી રીતે કહી શકે? ચૂંટણી પંચ સમક્ષ પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. તેઓ કહે છે કે ત્યાં બે પક્ષો છે, પરંતુ કોઈ જૂથ નથી.
ઉદ્ધવ ઠાકરે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને યોગ્ય ઠેરવવાના હાઈકોર્ટની સિંગલ બેંચના આદેશને પડકાર્યો છે.