Breaking News

નાસિકમાં ITના દરોડો, 26 કરોડની રોકડ તેમજ 90 કરોડની બિનહિસાબી સંપત્તિ મળી

આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના નાસિક શહેરના એક મોટા બુલિયન બિઝમેનના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. બુલિયન વેપારી પાસે જ્વેલરી અને રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ છે. આવકવેરા વિભાગ દ્વારા 30 કલાકની સતત તપાસ દરમિયાન લગભગ 26 કરોડ રૂપિયા રોકડા અને 90 કરોડ રૂપિયાની બિનહિસાબી સંપત્તિના દસ્તાવેજો મળી આવ્યા છે. IT ટીમે અચાનક 23મી મેના રોજ સાંજે આવકવેરા ચોરીની આશંકાના આધારે સુરાણા જ્વેલર્સના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેના કારણે શહેરના બુલિયન વેપારીઓમાં ભયનો માહોલ છે.

આવકવેરા તપાસ વિભાગના મહાનિર્દેશક સતીશ શર્માની દેખરેખ હેઠળ ટીમે નાસિકમાં દરોડા પાડ્યા હતા. 23 મે (ગુરુવારે સાંજે) 50 થી 55 અધિકારીઓએ અચાનક સુરાણા જ્વેલર્સના બુલિયન બિઝનેસ તેમજ તેમની રિયલ એસ્ટેટ બિઝનેસ ઓફિસ પર દરોડા પાડવાનું શરૂ કર્યું. આ ઉપરાંત રાકા કોલોની વિસ્તારમાં આવેલા તેના આલીશાન બંગલામાં પણ અલગથી તપાસ હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન બુલિયન વેપારીની ઓફિસ, ખાનગી લોકર અને શહેરમાં વિવિધ સ્થળોએ બેંક લોકરોની ચકાસણી કરવામાં આવી હતી. મનમાડ અને નંદગામમાં તેના પરિવારના સભ્યોના ઘરોની પણ તપાસ કરવામાં આવી હતી. મુસાફરોની થેલીઓ, કાપડની થેલીઓ અને ટ્રોલી બેગમાં ભરેલી રોકડને ગણતરી માટે સાત કારમાં સીબીએસ નજીક સ્ટેટ બેંકની ઓફિસમાં લાવવામાં આવી હતી. શનિવારે સ્ટેટ બેંકમાં રજા હતી, છતાં આ દિવસે બેંકના હેડક્વાર્ટરમાં રોકડની ગણતરી કરવામાં આવી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?