Breaking News

પોતાના રૂમમાં જ ગળે ફાંસો લગાવી આપઘાત પરીક્ષાના લીધે ડીપ્રેશનમાં પગલું ભર્યું હોવાનું અનુમાન

મળતી માહિતી પ્રમાણે જૂનાગઢમાં શુભમ રેસિડન્સીમાં રહેતા અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતાં 18 વર્ષના નમન પંકજભાઇ વડાલીયા નામના પરીક્ષાર્થીએ પોતાના ઘરે રૂમમાં ગેળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનો ગઇકાલથી પ્રારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં ધોરણ 12 સાયન્સના પ્રથમ પેપરની પરીક્ષા આપે તે પહેલાં જ ડીપ્રેશનમાં આવી ગયેલા ડૉકટર પિતાના પુત્રએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે

ગઇકાલે બપોરે 3 વાગ્યાનું પ્રથમ પેપર હોય દોઢ વાગ્યાથી દરવાજો નહિ ખોલતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇ પ્રતિસાદ ના મળતા દરવાજો તોડીને જોતા દીકરાની લાશ લટકતી જોવા મળી હતી. આ અંગે પીયુષભાઇ ગગજીભાઇ વડાલીયાએ પોલીસમાં જાણ કરતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »