અમદાવાદના ઓર્કિડ ગ્રીન ફ્લેટમાં લાગેલી આગ મામલે શાહપુર ફાયર સ્ટેશનની શંકાસ્પદ ભૂમિકા

અમદાવાદના શાહીબાગના ઓર્કિડ ગ્રીન ફ્લેટ આગની ઘટનામાં નવો ઘટસ્ફોટ થયો છે. વાત જાણે એમ છે કે, આગ લાગવાની ઘટના બાદ ફાયર બ્રિગેડના વાહનો મોડા પહોંચ્યા હોવાના આક્ષેપ થયા હતા. જે બાદમાં તપાસમાં જે જગ્યાએ આગ લાગી તે વિસ્તાર શાહપુર ફાયર સ્ટેશન હદ વિસ્તારમાં આવતો હોવા છતાં પણ શાહપુરની ફાયર ગાડીઓ અન્ય ગાડીઓના સ્થળ પર પહોંચ્યા બાદ ત્યાં પહોંચી હતી. આ સાથે ફાયરની ગાડીઓ સમયસર પહોંચી હોવાનું સાબિત કરવા રજીસ્ટરમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થતાં હડકંપ મચી ગયો છે. શાહપુર ફાયર સ્ટેશનની ગાડીઓ અંદાજિત 15 મિનિટ મોડી પહોંચી હોઇ તપાસ શરૂ થઈ હતી. જેમાં આગની ઘટનાનો કોલ મળ્યા અને ગાડી ત્યાંથી નીકળી તેના સમયને લઈ રજીસ્ટરમાં ચેડાં કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આગની ઘટનાનો કોલ મળ્યાનો સમય 7.43ની જગ્યાએ સુધારી 7.28 અને ગાડી ફાયર સ્ટેશનથી નીકળવાનો સમય 7.45ના બદલે 7.30 કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે. શાહપુર ફાયર બ્રિગેડના રજીસ્ટરમાં નિયમો વિરુદ્ધ આગનો કોલ આવ્યાનો સમય અને ફાયરની ગાડીઓ રવાના થયાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈ હવે મ્યુનિસિપલ દ્વારા સમગ્ર ઘટનાની વિઝિલન્સ તપાસ શરૂ કરાઇ છે. જેમાં નાના કર્મચારી-અધિકારીઓની તપાસ કર્યા બાદ મોટા અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થતો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »