નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલને લોકોએ જાહેરમાં માર માર્યો, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદના નિકોલ વોર્ડના ભાજપના કોર્પોરેટર બળદેવ પટેલને આજે બપોરે લોકોએ જાહેરમાં માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા શિવાજી ચોક પાસે ટીપી સ્કીમના અમલીકરણ બાબતે જ્યારે તેઓ ગયા ત્યારે લોકોનું ટોળું તેમને ઘેરી વળ્યું હતું અને લોકોએ જાહેરમાં તેઓને માર માર્યો હતો. ઇજાગ્રસ્ત કોર્પોરેટરને સારવાર અર્થે કાકડીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે પાછળથી પોલીસને જાણ થતા કૃષ્ણનગર પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

About chanchal bhuj bhuj

Check Also

ગુજરાતમાં સાત દિવસ પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના છૂટાછવાયા સ્થળો પર આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »