Breaking News

ભારત-પાકિસ્તાન જેસલમેર બોર્ડર પર BSF જવાન શહીદ,સૈનિકનું મોત હીટ સ્ટ્રોકના કારણે થયું

ભારત અને પાકિસ્તાન વચ્ચે જેસલમેર સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) નો એક જવાન શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, બોર્ડર પર શહીદ થયેલા જવાનની ઓળખ અજય કુમાર તરીકે થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, સૈનિકનું મોત હીટ સ્ટ્રોકના કારણે થયું છે. નોંધનિય છે કે, હાલ દેશભરમાં આકરી ગરમી જોવા મળી રહી છે. તેની અસર રણની સરહદ પર  પણ જોવા મળી રહી છે જ્યાં તાપમાન 55 ડિગ્રીથી ઉપર ગયું છે. આ કાળઝાળ ગરમીના કારણે BSFના જવાનો  પણ પરેશાન છે.અજય કુમારને રવિવારે (26 મે) ના રોજ બોર્ડર પોસ્ટ ભાનુ પર તૈનાત કરવામાં આવ્યા હતા. કાળઝાળ ગરમીના કારણે તેમની તબિયત લથડી હતી. આ પછી તેને સારવાર માટે રામગઢ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સૈનિકનું આજે એટલે કે સોમવારે (27 મે) સવારે હોસ્પિટલમાં મોત થયું હતું. શહીદ જવાનને રામગઢ હોસ્પિટલ પરિસરમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન 173મી કોર્પ્સ બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓએ પણ સૈનિકને ફૂલ સર્કલ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

પુરી જગન્નાથની રથયાત્રા માટે ભવ્ય સ્ટેજ તૈયાર, ધાર્મિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું

પુરી: ઓડિશાના પવિત્ર દરિયાકાંઠાના શહેર પુરીમાં રવિવારના રોજ શરુ થનાર ભગવાન જગન્નાથ અને તેમના ભાઇ બહેનોની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?