Breaking News

હિન્દુઓ પણ તીર્થોને પ્રવાસન સ્થળ ન બનવા દે શંકરાચાર્ય

જૈન સમાજે જે રીતે તેમના તીર્થ સમ્મેદ શિખરને પ્રવાસન સ્થળ બનતું રોકવા સંઘર્ષ કર્યો તે આદર કરવા યોગ્ય છે. હિન્દુ સમાજ પણ સમજી લે કે તીર્થ અને પ્રવાસન સ્થળ જુદાં છે. જોશીમઠ સહિત ઉત્તરાખંડને પ્રવાસન સ્થળ બનાવી દીધું છે. અહીં જમીનો ફાટી રહી છે. કુદરત જવાબ આપી રહી છે. જોશીમઠના લોકો ગુસ્સામાં છે. સરકાર મોડી જાગી છે.

જોશીમઠના અનેક વિસ્તારમાં સતત વિસ્ફોટો કરાઇ રહ્યા છે. 2005 પછી અહીં હાઇડ્રોપાવર પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, ત્યારે અહીં લાંબી સુરંગ બની અને તેના માટે ટીબીએમ એટલે કે ટનલ બોરિંગ મશીન મંગાવાયું. આ મશીનો સામાન્ય રીતે મજબૂત વસ્તુને કાપે છે, પરંતુ તેનાથી જોશીમઠની જમીન ખોદવાનું શરૂ થયું. ધ્રુજારીઓ અનુભવાઇ અને ઘણી જમીન કાદવ-કીચડમાં પરિવર્તિત થઇ ગઇ. જોશીમઠને ઘણું નુકસાન થયું અને લોકોએ મકાન છોડવા પડી રહ્યાં છે. અમને વિશ્વાસ છે કે આપત્તિઓ વચ્ચે પણ જોશીમઠ સુરક્ષિત રહેશે. 2008માં ગંગાસેવા અભિયાનની શરૂઆતમાં સ્વરૂપાનંદ સરસ્વતીએ મોટા પ્રોજેક્ટથી આફતની ચેતવણી આપી હતી. એવું જ થયું. આપણે સંતોની વાણીનો આદર કરવો જોઇએ.

About chanchal bhuj bhuj

Check Also

4 જૂને દેશમાં ઈન્ડિયા ગઠબંધનની સરકાર રચાશે, દિલ્હીના મહરૌલીમાં રોડ શો દરમિયાન બોલ્યા CM કેજરીવાલ

સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ અને જેલમાંથી મુક્ત થયા બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »