હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે

હવે KYC કરાવવા માટે બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે. હવે ફ્રેશ KYC પ્રક્રિયા ઘર કે ગમે ત્યાંથી વીડિયો આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે.

આરબીઆઈએ 5 જાન્યુઆરી, 2023ના રોજ એક પ્રેસ રીલીઝ જારી કરીને જણાવ્યું હતું કે નવી KYC પ્રક્રિયા વીડિયો-આધારિત ગ્રાહક ઓળખ પ્રક્રિયા દ્વારા અથવા બેંકની શાખામાં જઈને ગમે ત્યાં બેસીને કરી શકાય છે. આરબીઆઈએ કહ્યું છે કે જો KYCમાં કોઈ ફેરફાર ન થાય તો ગ્રાહક માત્ર સ્વ-ઘોષણા આપીને ફરીથી KYCની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે અને આને પૂરતું ગણવામાં આવશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, બેંકોને એવી સુવિધા આપવા માટે કહેવામાં આવ્યું છે જેમાં ગ્રાહકોની સ્વ-ઘોષણાની પ્રક્રિયા નોન-ફેસ-ટુ-ફેસ ચેનલ દ્વારા પૂર્ણ કરી શકાય.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »