Breaking News

ખેડામાં ભડકાઉ પોસ્ટ કરનાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરતા આરોપીઓએ ફરિયાદ કરનાર શખ્સ પર જીવલેણ હુમલો કર્યો

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડાનાં મહુધામાં કેટલાક શખ્સો દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મામલે શખ્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન કેટલાક શખ્સો દ્વારા ફરિયાદી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે ભડકાઉ પોસ્ટ કરનાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ હુમલાની ઘટનામાં મહુધા પોલીસે 100 લોકોનાં ટોળા સામે ફરિયાદ નોંધી હતી. તેમજ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી છે. તેમજ હાલ મહુધામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી કરેલી પોસ્ટ મામલે ફરિયાદ કરવા ગયા હતા. ત્યારે પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો થયો હતો. જેના કારણે ફરિયાદ કરવા પહોંચેલા લોકોની ગાડીના કાચ તોડીને નુકસાન પહોંચાડ્યું હતું.

About JAYENDRA UPADHYAY

Check Also

કોટડા-ચકારના આંગણવાડીનો નવતર પ્રયોગ : કઠપુતળીના નાટક દ્વારા પોષણ અંગે જનજાગૃતિનો પ્રયાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?