Breaking News

રાપર ખાતે વહિવટ તંત્ર દ્વારા દશમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

આજે એકવીસ મી જુન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ભારતીય યોગ ને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના અપાવનાર યોગ દિવસ નિમિત્તે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે રાપર તાલુકા ના વહિવટી તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર તાલુકા ના તમામ વિભાગોના અધિકારીઓ સામાજિક સંસ્થાઓ તથા શાળા કોલેજ ના વિધાર્થીઓ અને સામાજીક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા મામલતદાર એ.એમ.પ્રજાપતિ અને તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી ના વડપણ હેઠળ યોજાયેલા યોગા ના કાર્યક્રમ દરમિયાન યોગ ન જૂદા ફાયદા અને શરીર માટે કયા કયા ફાયદા થાય છે તે અંગે સમજણ અને માહિતી આપવા મા આવી હતી તન અને મન ની શાંતિ માટે યોગ જરૂર છે ભારતીય સંસ્કૃતિ ના યોગ ને સમગ્ર વિશ્વ એ અપનાવ્યો છે અને છેલ્લા એક દાયકા થી ભારત સરકાર ના પ્રયાસો થી એકવીસ મી જુન ને યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે તે ગૌરવ પ્રાપ્ત થયું છે રાપર યોગ દિવસ ની ઉજવણી દરમિયાન મામલતદાર એ.એમ.પ્રજાપતિ તાલુકા વિકાસ અધિકારી એ.આર.ત્રિવેદી નાયબ કાર્યપાલક ઈજનેર ભરતભાઈ નાથાણી તાલુકા શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા ગુરુકુળ ના આચાર્ય રાવતસિંહ ગોહિલ રાજન મહારાજ પન્ના બેન ગૌસ્વામી આર.એફ.ઓ સતિષ ભાઇ જેઠા નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત મહેશ સુથાર દિનાબેન સોલંકી સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા યોગ અંગે ની સમજણ મહેશ સોલંકી એ આપી હતી

About JAYENDRA UPADHYAY

Check Also

સ્વ. વિજયભાઈ પુરોહિત ને મિત્રોની મિત્રાંજલી : વિશેષ અહેવાલ

સ્વ. વિજયભાઈ પુરોહિત ને મિત્રોની મિત્રાંજલી : વિશેષ અહેવાલ જયેન્દ્રભાઇ ઉપાધ્યાય, પ્રતાપભાઈ આસર, જોરાવરસિંહ રાઠોડ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?