દેશમાં ફરી એક વાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએની સરકાર બની રહી છે. આજે સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના ઘટક દળોએ નરેન્દ્ર મોદીને પોતાાન સંસદીય દળના નેતા ચૂંટી લીધા છે. રાજનાથ સિંહે તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેના પર તમામ દળના નેતાઓએ પોતાની સહમતિ વ્યક્ત કરી. ત્યાર બાદ પીએમ મોદીએ સેન્ટ્રોલ હોલમાં રહેલા ભાજપ અને એનડીએના નેતાઓ અને નવનિર્વાચિત સાંસદોને સંબોધન કર્યું.
