અમદાવાદ એરપોર્ટ પરથી ચાર ISISના આતંકી ઝડપાયા

by JAYENDRA UPADHYAY
0 comments

આજે પાંચમાં તબક્કાનું લોકસભાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા આતંકવાદીઓ ISIS સાથે સંકળાયેલા આતંકીઓ ઝડપાયા છે. ઝડપાયેલા 4 આતંકીઓ શ્રીલંકન નાગરીક હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા તમામ ચાર આતંકવાદીઓની ધરપકડ કરી તેઓની પૂછરપછ હાથ ધરી છે. એટીએસની પૂછપરછમાં આતંકવાદીઓ મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

You may also like

Leave a Comment