કચ્છ જિલ્લાના રોજગાર મેળવવા ઈચ્છુક ઉમેદવારોને રોજગારી મળે તે માટે જિલ્લા રોજગાર કચેરી, ભુજ-કચ્છ તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંજારના સંયુક્ત ઉપક્રમે ખાનગીક્ષેત્રના નોકરીદાતાઓ પાસેથી ખાલી જગ્યાઓ મેળવી તાલુકાકક્ષાના એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતી મેળાનું ૨૪ નવેમ્બરના રોજ આયોજન કરવામાં આવેલું છે.
જેમાં આઈ.ટી.આઈ. પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે, ઉંમર મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની રહેશે. આ એપ્રેન્ટીસશીપ અને રોજગાર ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રોજગાર ભરતીમેળામાં ભાગ લેતા ઉમેદવારોએ અનુબંધમ વેબ પોર્ટલ રજિસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.ઉમેદવારોને સવારે ૨૪ નવેમ્બરના સવારે ૧૦ કલાકે સ્થળ – આઇ.ટી.આઇ અંજાર, અંજાર- ભુજ બાયપાસ રોડ , અંજાર-કચ્છ ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.