Breaking News

PM-CMને જાનથી મારી નાખવાની ધમકી નોઇડામાં એક ખાનગી ચેનલને મેઇલ મળ્યો

નોઈડામાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી એક ખાનગી ચેનલને મેઇલ દ્વારા મોકલવામાં આવી છે. ચેનલની ફરિયાદ પર નોઈડાના સેક્ટર-20 પોલીસ સ્ટેશને કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ માટે એક ટીમની રચના કરવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

આ મેઇલ 3 એપ્રિલે રાત્રે 10.30 વાગ્યે એક ખાનગી ચેનલને મોકલવામાં આવ્યો હતો. મોકલનારનું નામ કાર્તિક સિંહ છે. આ ધમકીભર્યો મેઇલ singhkartik78107@gmail.com પરથી ખાનગી ચેનલને મોકલવામાં આવ્યો હતો.

About chanchal bhuj bhuj

Check Also

ઈરાનના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. ઈરાનની સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »