મોટાભાગના લોકો તાવ અને શરદીની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને બાળકો અને વૃદ્ધો પર તેની વધુ અસર જોવા મળી રહી છે. રાજકોટમાં તાવ અને ઉલટીના લીધે વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ધોરણ 4માં અભ્યાસ કરતી 11 વર્ષીય વિદ્યાર્થિનીનું તાવ અને ઉલટીના લીધે મોત નિપજ્યું છે.
ધો. 4માં ભણતી 11 વર્ષીય રાધિકા રાય નામની વિદ્યાર્થિનીનું બીમારીથી મોત થયું છે. આ વિદ્યાર્થિની ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી હતી. જેનું તાવ અને શરદીના લીધે મૃત્યુ થયું છે. જેના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે.