પાવાગઢમાં પ્રવેશદ્વાર પર શ્રીફળનો ઢગલો, મશીન હોવા છતાં નિયમનું ઉલ્લંઘન

શક્તિપીઠ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ નીજ મંદિરમાં લઈ જવા તેમજ તેને વધેરવા પર પ્રતિબંધ મૂકાયો છે. પાવાગઢ મંદિર પરિસર તેમજ આજુબાજુની જગ્યાઓમાં શ્રીફળના કુચા તેમજ તેને લઈને ગંદકી થતી હોવાને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. સાથે જ પાવાગઢ માંચી ખાતે શ્રીફળ ફોડવા માટેનું મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મૂકવામાં આવ્યું છે. તેમ છતાં આજે મોટા ભાગના ભક્તો માર્ગ પર શ્રીફળ વધેરી રહ્યા છે. પાવાગઢ મંદિરના પ્રવેશદ્વારે શ્રીફળનો ખડકલો જોવા મળી રહ્યો છે. એક પણ શ્રદ્ધાળુએ માંચીમાં મુકેલા મશીનમાં શ્રીફળ વધેર્યું નથી. બહારથી આવતા મોટા ભાગના ભક્તો શ્રીફળના નિર્ણયથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. ભક્તો માંચીમાં મુકેલા મશીનમાં શ્રીફળ વધેરવાને બદલે મંદિરના માર્ગો પર જ શ્રીફળ વધેરી રહ્યા છે. પાવાગઢ મંદિર પર ચાલતા જવાના માર્ગના પ્રવેશદ્વારે જ શ્રીફળોનો ખડકલો જોવા મળી રહ્યો છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »