સાબરમતી સ્ટેશન રિડેવલપ થશે, બુલેટ ટ્રેન-મેટ્રો સ્ટેશન સાથે કનેક્ટ કરાશે

સાબરમતી સ્ટેશનને પણ અન્ય સ્ટેશનોની જેમ રિડેવલપ કરાશે. સાબરમતી આશ્રમ અને ગાંધીજીની ઝલક જોવા મળે તે રીતે સ્ટેશનની ડિઝાઈન તૈયાર કરાઈ રહી છે. સ્ટેશન બિલ્ડિંગ પર પેસેન્જરોને ગાંધીજીના જીવનથી જોડાયેલા વિવિધ પાસા જેમાં ચરખા, દાંડી કૂચ જોવા મળશે.રેલવેએ દેશના 200 સ્ટેશન રિડેવલપ કરવાનો પ્લાન બનાવ્યો છે. જેમાં સાબરમતી સ્ટેશનનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ મે, 2026 સુધીમાં પૂરો કરાશે. સાબરમતી ધર્મનગર સ્ટેશન બિલ્ડિંગનો કુલ બિલ્ટઅપ એરિયા 19,582 ચોરસ મીટર તેમજ સાબરમતી જેલરોડ સ્ટેશનનો બિલ્ટઅપ એરિયા લગભગ 3,568 ચોરસ મીટર છે. વધુમાં આ બન્ને સ્ટેશનને પણ ટ્રાવેલેટર સાથે જોડવામાં આવશે. તેની સાથે જ સાબરમતી સ્ટેશનથી બુલેટ ટ્રેન સ્ટેશન, મેટ્રો ટ્રેન સ્ટેશન તેમજ બીઆરટીએસ સ્ટેશન પણ જોડવામાં આવશે.

About chanchal bhuj bhuj

Check Also

અમરેલીમાં લોકસભાના મતદાન બાદ નારણ કાછડીયાએ ઠાલવ્યો બળાપો

સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »