હવે વિભાગે ટેક્સપેયર્સને સારવાર માટે મળતી રકમ પર આવકવેરામાંથી મુક્તિ આપી છે.
આ સિવાય આવકવેરા વિભાગની તરફથી કોરોના દરમિયાન પરિવારના કોઈપણ સભ્યના મૃત્યુ પર મળતી સહાયની રકમ પર પણ ટેક્સમાં છૂટ આપી છે. વિભાગની કોઈપણ પ્રકારની ફરિયાદોના જલ્દી નિરાકરણ માટે સ્થાનિક સમિતિઓની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત ડિજિટાઈઝેશનને પ્રોત્સાહન આપવા અને લોકોની સુવિધાના હેતુથી આવકવેરા વિભાગ દ્વારા અનેક પ્રકારની સેવા અને સંબંધિત ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. હવે તમારે દરેક પ્રકારના કામ માટે ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નહીં પડે.