જીએસટીમાં અંદાજીત 1500 થી વધુ કરદાતાને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, વેટમાં તમારી ક્રેડિટ પડી છે. જીએસટીમાં લઇ જાવ.
જીએસટીમાંથી જાણવા મળતી વિગત મુજબ ડિફોલ્ટર સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. છ માસથી જે ટેક્સ નહિ ભરે તેનો નંબર રદ થશે. જોકે જૂનું લેણું વસૂલવા કવાયત હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં રૂ. 2 કરોડ સુધીની વસૂલાત પણ થઈ ગઈ છે. જો જૂની રકમ ભરપાઈ નહિ કરવામાં આવે તો બેંક- મિલકત ટાંચમાં લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
હાલ નવા નંબર લેવામાં સૌથી વધુ મુશ્કેલી પડે છે. ત્રણ-ચાર દિવસથી સાઇટ ચાલતી જ નથી. રજિસ્ટ્રેશન કરીએ તો એરર બતાવે છે.