ગાંધીનગર સિવિલની કોવિડ ડયુટીમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધરના મૃત્યુના કિસ્સામાં સરકારે ૫૦ લાખ રૃપિયાની આર્થિક સહાય આપી છે.
કોર્ટની વારંવારની ટકોર બાદ સરકારે કોવિડમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનોને રૃપિયા ૫૦ હજારની સહાય આપવાનું શરૃ કર્યું હતું તો કોવિડ ડયુટી દરમ્યાન મૃત્યુ પામેલા હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફને રૃપિયા ૫૦ લાખ આપવાની જાહેરાત કરી હતી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધર અલ્પેશ પરમાર ડયુટી પર હતા તે વખતે તેમનુ મૃત્યું નિપજ્યું હતું. આ યુવાન બ્રધરનો કોવિડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી સહકર્મીઓ અને પરિવારજનો દ્વારા બ્રધરને આર્થિક સહાય મળે તે માટે અરજી કરી હતી. તાજેતરમાં આરોગ્ય વિભાગ દ્વારા આ અરજીને ધ્યાને રાખીને મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સ આ સ્ટાફ બ્રધર અલ્પેશ પરમારના પરિવારને રૃપિયા ૫૦ લાખ આપવાની જાહેરાત કરી છે.ગાંધીનગર જિલ્લામાં કોરોના વોરિયર્સના મૃત્યુનો આ એક માત્ર કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં કોરાનાથી મૃતકોના ત્રણ હજાર જેટલા પરિવારજનોને ૫૦ હજાર લેખે ૧૪થી ૧૫ કરોડ રૃપિયાની આર્થિક સહાય ચૂકવી દેવામાં આવી છે.