ભાજપે બળવાખોર નેતાઓ પર એક્શન લીધા છે. અનેક જગ્યાએ તમણે કાર્યકરોને તેમજ નેતાઓને સસ્પેન્ડ પણ કર્યા છે. પ્રમુખ સી આર પાટીલ અગાઉ પણ જણાવ્યું છે કે, પાર્ટી શિસ્તભંગ જરા પણ ચલાવી નહીં લે અને અનેક નેતા અને કાર્યકરોને પદ પરથી બરતરફ કર્યા છે
લુણાવાડા વિધાનસભામાં પક્ષ વિરોધી કામ કરનાર કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે. 6 કાર્યકર્તાઓ સામે પક્ષ વિરોધી કૃત્ય બદલ કાર્યવાહી કરાઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થાય બાદ સસ્પેન્ડ કરતા રાજકારણ વધુ એક વાર ગરમાયો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકરોને ભાજપે હોદ્દા પરથી દૂર કર્યા છે. અત્યાર સુધીમા લુણાવાડામાં 50 આગેવાનોને સસ્પેન્ડ કરાયા છે