વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિપુલ ચૌધરીની જામીન અરજી મંજૂર કરાઈ છે. કોઈપણ શરત વગર તેમના જામીન મંજૂર કરાયા છે. તેઓ દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ હતા.
રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 800 કરોડના કૌભાંડનો આરોપ છે. જેને લઇને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
વિપુલ ચૌધરી સામે દૂધસાગર ડેરીના ચેરમેન રહેવા દરમિયાન નિયમનું ઉલ્લંઘન કરી મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી, ડેરીના ચેરમેન તરીકે હટાવાતા કરેલા કોર્ટ કેસનો ખર્ચ ડેરીમાં ઉમેરવો, ટેન્ડર વિના ડેરીના કામ કરવા, ડેરીના હોર્ડિંગ્સ ઊંચો ભાવ આપનારી કંપની પાસેથી મેળવ્યા સહિતના આરોપો હતા. તેમની પર કુલ મળીને 800 કરોડનું કૌભાંડ આચરવાનો આરોપ મૂકાયો હતો.