પહલગામ મામલે વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન

પહલગામ હુમલા મામલે કેન્દ્ર સરકાર એક્શ મોડમાં છે, ત્યારે દિલ્હીમાં પીએમ આવાસ પર વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આજે (29 એપ્રિલ) સાંજે દોઢ કલાક સુધી હાઈ લેવલ બેઠક યોજાઈ હતી. પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લગાવ્યા બાદ મંગળવારે આગામી રણનીતિ માટે હાઈ લેવલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા.બેઠક બાદ વડાપ્રધાન મોદીએ મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘અમે સેનાને ખુલ્લી છૂટ આપીએ છીએ. આતંકવાદનો જડબાતોડ જવાબ આપીશું. એટેકનો ટાર્ગેટ અને સમય સેના નક્કી કરે. સેનાની ક્ષમતા પર અમને સંપૂર્ણ ભરોસો છે. જડબાતોડ જવાબ આપવો રાષ્ટ્રીય સંકલ્પ છે.’ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પગલગામમાં 22 એપ્રિલેના રોજ આતંકવાદીઓએ ભયાનક આતંકી હુમલો કર્યો હતો. આતંકીઓએ આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. આ ઉપરાંત અનેક લોકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. હુમલા બાદ ભારતની પાકિસ્તાન વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ કરતા પાકિસ્તાને નફ્ફટાઈની હદ વટાવી ભારતને ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. બીજીતરફ હુમલાની ઘટના બાદ સુરક્ષા દળના જવાનો આખા જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સુરક્ષા દળની ટીમો ખુણે-ખાંચરે પહોંચી તમામ સ્થળે કોમ્બિંગ કરી રહી છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે, જેના કારણે ભારત સરકારે પાકિસ્તાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદી દીધા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ન્યુયોર્કમાં મેક્સિકન નેવીનું જહાજ બ્રિજ સાથે અથડાયું, 19 ઈજાગ્રસ્ત, 2ના મોત

અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં શનિવારે (17 મે) સાંજે એક મોટો અકસ્માત થયો હતો. હકીકતમાં મેક્સિકન નૌકાદળનું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?