Breaking News

જામનગર-રાજકોટ હાઇવે પર ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ત્રણ લોકોના મોત

આજે રવિવારે જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ આ દર્દનાક ઘટનામાં 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાને લઈ સ્થાનિકો સહિતના લોકો દોડી આવ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી.જામનગર-રાજકોટ હાઇવે પર ધ્રોલ નજીક આજે સવારે આશાપુરા હોટલ પાસે એકટીવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો બધો ભયાનક હતો કે, ઘટના સ્થળે જ 3 લોકોના મૃત્યુ થયા હતા. આ તમામ મૃતકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિજનો સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ; 3 ના મોત

ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?