Breaking News

શપથ ગ્રહણ પહેલા PM મોદીએ બાપુ-અટલને કર્યા નમન,ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે

 નરેન્દ્ર મોદી આજે (9 જૂન, રવિવાર) રાષ્ટ્રપતિ ભવનમાં સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે. નરેન્દ્ર મોદીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 7:15 વાગ્યે શપથ લેવડાવશે, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ 9 જૂન, 2024ના રોજ સાંજે 07.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદના અન્ય સભ્યોને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવશે. બીજેપીના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ અને રાજનાથ સિંહ ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને તેલુગુ દેશમ પાર્ટીના એન ચંદ્રબાબુ નાયડુ, જેડી(યુ)ના નીતિશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે સરકારમાં તેમના પ્રતિનિધિત્વના હિસ્સાને અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે. પક્ષકારોની સલાહ લેવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહનું જીવંત પ્રસારણ ઈટીવી ભારતના વેબપોર્ટલ પર નિહાળી શકશો.

About JAYENDRA UPADHYAY

Check Also

ભારતમાં બર્ડ ફ્લૂનો બીજો કેસ નોંધાયો, પશ્ચિમ બંગાળમાં 4 વર્ષનો છોકરો થયો સંક્રમિત

આપણા દેશમાં બર્ડ ફ્લૂ ફેલાઈ રહ્યો છે. અહીં વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?