Breaking News

જૂનાગઢનો ગિરનાર રોપ વે 11થી 20 જૂન સુધી બંધ રહેશે, મેન્ટેનન્સને લીધે લેવાયો નિર્ણય

એશિયાનો સૌથી લાંબો રોપ વે ગિરનારમાં છે. જેને મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. સંચાલક કંપની ઉષા બ્રેકો દ્વારા મેન્ટેનન્સને લીધે આ નિર્ણય કરવામાં આવ્યો છે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.ગિરનાર રોપવે લંબાઈ અને ઊંચાઈની દ્રષ્ટિએ એશિયાનો સૌથી લાંબો રોપ વે ગણાય છે. સુરક્ષાના દ્રષ્ટિકોણને ધ્યાને રાખીને સમયાંતરે રોપ વે મેન્ટેનન્સ કામગીરી પણ સતત કરાય છે. તારીખ 11થી 20 જૂન સુધી ગિરનાર રોપ વે બંધ રહેશે. જેમાં રોપ વેના બાંધકામ સાથે સંકળાયેલા ઈજનેરો મેન્ટેનન્સ કામગીરીમાં સામેલ થશે. 10 દિવસ સુધી તમામ પ્રકારના સુરક્ષા ઉપકરણોનું પણ મેન્ટેનન્સ કરવામાં આવશે. 21મી જૂનથી રોપ વે સેવાઓ રાબેતા મુજબ શરૂ થશે.

About JAYENDRA UPADHYAY

Check Also

રથયાત્રા પહેલા અમદાવાદમાં વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની જળયાત્રા

આજે ભગવાન જગન્નાથજીની 147 મી જળયાત્રા નીકળી હતી. જેઠ સૂદ પૂનમનાં પરંપરાગત રીતે જળયાત્રા નીકળે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?