Breaking News

એમેઝોનમાં 7 દિવસમાં 100 ડોલ્ફિનનાં મોત:અન્ય તળાવોમાં શિફ્ટ કરવામાં આવી રહી છે; પાણીનું તાપમાન 40 ડિગ્રી કરતા વધ્યું

બ્રાઝિલના એમેઝોન વિસ્તારમાં ઐતિહાસિક દુકાળ પડ્યો છે. અહીંના તળાવોમાં પાણીનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. કેટલાક સ્થળોએ પાણીનું તાપમાન 102 ડિગ્રી ફેરનહીટ એટલે કે 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. આ દરમિયાન છેલ્લા સાત દિવસમાં અહીંના ટેફે તળાવમાંથી સોથી વધુ ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવી છે.

વૈજ્ઞાનિકોએ તેને અસામાન્ય ગણાવ્યું છે. તેમના મતે, તળાવનું તાપમાન અને એમેઝોનમાં ઐતિહાસિક દુષ્કાળ આનું કારણ હોઈ શકે છે. વિશ્વની સૌથી મોટી જળમાર્ગ એમેઝોન નદી હાલમાં શુષ્ક વાતાવરણમાંથી પસાર થઈ રહી છે, જેની અસર નદીમાં રહેતા જીવો પર પણ પડી રહી છે.ડોલ્ફિન પણ વ્હેલની જેમ એક સસ્તન જળચર પ્રાણી છે. તે પાણીમાં 990 ફૂટ ઊંડે જઈ શકે છે અને પાણીની ઉપરથી 20 ફૂટ સુધી કૂદી શકે છે. દુર્લભ જળચર પ્રાણીની શ્રેણીમાં આવ્યા બાદ તેના સંરક્ષણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, નદી કિનારે રહેતા માછીમારોને ડોલ્ફિનનો વધુ ડર લાગે છે. જેની જાળમાં ડોલ્ફિન પડી જાય છે. તેમની સુરક્ષા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાની પણ જરૂર છે.

About JAYENDRA UPADHYAY

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »