Breaking News

કોલેઝિયમે જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી

દેશના મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની અધયક્ષતાવાળી ઉચ્ચ ન્યાયાલયની કોલેઝિયમે બુધવારે બોમ્બે, ગુજરાત, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મણિપુર, ઓડિશા અને કેરલની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિની ભલામણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ સંજય કે. કૌલ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની ત્રણ સભ્યોની કોલેઝિયમે જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવાની ભલામણ કરી છે.

જો કેન્દ્ર તરફથી મંજૂરી મળી જશે, જો નિયુક્ત થયા બાદ તે કોઈ હાઈકોર્ટની એકમાત્ર મહિલા મુખ્ય ન્યાયાધીશ હશે, કેમ કે વર્તમાનમાં આ પદ પર કોઈ મહિલા પ્રતિનિધિત્વ નથી કરી રહી. કોલેઝિયમે બુધવારની બેઠકમાં ઈલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયને બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કરવાની ભલામણ કરી છે.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »