પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક ​​થતાં 11 લોકોના મોત.પોલીસ, પ્રશાસન અને NDRFની ટીમો ઘટનાસ્થળે હાજર

પંજાબના લુધિયાણામાં ઝેરી ગેસ લીક ​​થતાં 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો બેહોશ થઈ ગયા હતા. ઘટનાને લઈ સ્થળ પર અરાજકતાનો માહોલ સર્જાયો હતો. આ તરફ પોલીસ નાકાબંધી કરીને ઘટના સ્થળે કોઈને ન જવા દેવા કવાયત કરી હતી. આ સાથે રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને સલામત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. ડ્રોનની મદદથી પોલીસ ધાબાઓ પર તપાસ કરી રહી છે કે કોઈ પણ ઘરની છતને ગેસની અસર તો નથીને.

લુધિયાણાના ગયાસપુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસના જણાવ્યા અનુસાર ગ્યાસપુરા વિસ્તારમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અચાનક ગેસ લીક ​​થવાને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેણે દાવો કર્યો હતો કે, નજીકની દુકાનમાંથી ગેસ લીક ​​થયો હતો. લોકોને આ વાતની જાણ થતાં જ બધા લોકો અહીં-તહીં દોડવા લાગ્યા. મોટાભાગના લોકો દૂર દૂર સુધી પહોંચી ગયા છે.લુધિયાણા પશ્ચિમના SDM સ્વાતિએ કહ્યું કે, આ માત્ર ગેસ લીક ​​થવાની વાત છે. NDRFની ટીમ અહીં પહોંચી ગઈ છે. લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિકલ ટીમ તેની તપાસ બાદ ગેસ લીકના સ્ત્રોતનો ખુલાસો કરશે. ગેસ શું છે, તે પણ નિષ્ણાતોની ટીમ દ્વારા જાહેર કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર ગોયલ કિરાણા નામની દુકાનમાંથી ગેસ લીક ​​થયો હતો. ગેસ વિશે જાણવા માટે ફોરેન્સિક નિષ્ણાતો સ્થળ પર પહોંચી ગયા છે.

About JAYENDRA UPADHYAY

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »