ભાગેડું હીરા વેપારી નીરવ મોદી ભારત પ્રત્યાર્પણ મામલે બ્રિટનની સુપ્રીમ કોર્ટમાં જઈ શકશે નહીં, ગુરુવારે લંડન હાઈકોર્ટે નીરવને સુપ્રીમ કોર્ટમાં અપીલની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. લંડન હાઈકોર્ટ દ્વારા પ્રત્યાર્પણનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. નીરવ મોદી સુપ્રીમ કોર્ટમાં જવા માંગતા હતા. અરજી નામંજૂર થયા બાદ હવે નીરવને ભારત લાવવાની પ્રક્રિયા સરળ બની ગઈ છે. હાઈકોર્ટની બે જજની બેન્ચે PNB કૌભાંડ કેસમાં નીરવ મોદીની અપીલને ફગાવી દીધી હતી. મુખ્ય આરોપીએ તેને ભારત પ્રત્યાર્પણ કરવા સામે અપીલ કરી હતી. તેની અપીલમાં નીરવે તેની ખરાબ માનસિક સ્થિતિને ટાંકીને પોતાને ભારત ન મોકલવાની અપીલ કરી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજે માન્યું હતુ કે તેણે પોતાની અપીલમાં જે બાબતોનો ઉલ્લેખ કર્યો હતો તે તમામ બાબતો બીનજરુરી હતી.
Check Also
કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન
જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …