Breaking News

પંજાબમાં ટ્રેન અકસ્માત:એક ટ્રેન બીજી ટ્રેન સાથે અથડાઈ , ટ્રેનના બે લોકો પાયલોટ ઘાયલ થયા

પંજાબના ફતેહગઢ સાહિબમાં આજે સવારે લગભગ 4 વાગ્યે બે માલગાડીઓ અથડાઈ હતી. તેમાંથી એકનું એન્જિન પલટી ગયું અને બાજુના ટ્રેક પરથી પસાર થતી પેસેન્જર ટ્રેન સાથે અથડાયું. આ દુર્ઘટનામાં માલસામાન ટ્રેનના બે લોકો પાયલોટ ઘાયલ થયા હતા, જેમને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ અકસ્માત ગયા વર્ષે ઓડિશાના બાલાસોરમાં થયો હતો તેવો જ હતો. તે અકસ્માતમાં બીજી ટ્રેન આવી અને રેલવે ટ્રેક પર પહેલેથી જ ઉભેલી ટ્રેનને ટક્કર મારી હતી. આ ટક્કર દરમિયાન ત્રીજી ટ્રેન ત્યાંથી પસાર થઈ રહી હતી, તે પણ અકસ્માતનો શિકાર બની હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 293થી વધુ લોકોનાં મોત થયા હતા અને 1,000થી વધુ લોકો ઘાયલ થયા હતા.ફતેહગઢ સાહિબમાં થયેલા આ અકસ્માતની રૂપરેખા સમાન છે, પરંતુ ધીમી ગતિના કારણે મોટી દુર્ઘટના ટળી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?