કચ્છમાં ખેડુતોના નુકશાનનો તાત્કાલીક સર્વે કરી સહાય ચુકવવા માંગ : વિ.કે.હુંબલ

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છ જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી લોકોને ગરમીથી તો રાહત મળી છે પણ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવાઝોડું અને કમોસમી વરસાદને કારણે પાકોને વ્યાપક નુકસાન થયું છે.
એમાં પણ કેરીનો સોથ વળી ગયો છે. વાવઝોડા સાથે વરસાદથી આંબા પરથી મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ છે.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વિ.કે.હુંબલે ચંચળન્યુઝ સાથે વાત કરતા જણાવ્યુ હતું કે ખેડુતોને જે નુકશાની
ગઇ છે તેનો તાત્કાલીક સર્વે કરાવીને ખેડુતોને યોગ્ય વળતર આપવું જોઇએ.ખાસ કરીને વર્ષમાં બે ત્રણ વખત આ પ્રકારની પરીસ્થિતિ ઉદભવે છે ત્યારે ખેડુતો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાય છે.સરકારે ખેડુતો અને કીશાનસંઘને સાથે
રાખીને તાત્કાલીક સર્વે કરી ખેડુતોને સહાય ચુકવવા વિ.કે.હુંબલે માંગણી કરી હતી.

You may also like

Leave a Comment