Breaking News

લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ, જનોઈ, મુંડન જેવાં શુભ કાર્યો માટે બે માસ રાહ જોવી પડશે

ફેબ્રુઆરી માસમાં લગ્નનું માત્ર એક જ મુહૂર્ત (શુભ દિવસ) એટલે કે ૨૮ ફેબ્રુઆરી જ બાકી રહ્યો છે. ત્યાર બાદ લગ્નનાં આયોજનો માટે લોકોને રાહ જોવી પડશેઆ વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનારક માસ રહેશે, એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે. ત્યારે લગ્ન કરી શકાય નહીં તેવું મનાય છે.  એપ્રિલમાં ગુરુ અસ્ત થઈ જશે એટલે આ બંને મહિનામાં લગ્ન મુહૂર્ત રહેશે નહીં.  ત્યાર બાદ ૪ મે ૨૦૨૩થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે. જે ૨૭ જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી ૨૯ જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે, આ દિવસથી ચાર મહિના માટે ફરી બધાં જ માંગલિક કાર્યો બંધ થઈ જશે.

વસંત પંચમી, અખાત્રીજ, દેવઊઠી અગિયારશ, અને નવા ટ્રેન્ડ મુજબ વેલેન્ટાઈન ડે વણજોયાં શુભ મુહૂર્ત ગણાય છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »