જો આર્મીમાં આહીર રેજીમેન્ટ બની જાય તો, ચીનના ભુક્કા બોલાવી દેશે

ભારતીય જનતા પાર્ટીના સાંસદ દિનેશ લાલ યાદવ ઉર્ફ નિરહુઆએ ગુરુવારે લોકસભામાં ચીન સાથે ચાલી રહેલા તણાવ પર ટિપ્પણી કરતા કહ્યું કે, જો ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટ બનાવામાં આવે, તો ચીનના ભુક્કા બોલાવી દેશે. ઉત્તર પ્રદેશના આઝમગઢથી લોકસભા સીટના સાંસદ દિનેશ લાલ યાદવે શૂન્યકાળમાં આ વિષયને ઉઠાવતા કહ્યું કે, ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટની માગ લાંબા સમયથી ચાલી રહી છે. હું સરકાર પાસે માગ કરી રહ્યો છું કે, સેનામાં ફટાફટ આહીર રેજીમેન્ટ બનાવામાં આવે.
આહીર રેજીમેન્ટ બની જશે, ચીન થરથર કાંપવા લાગશે. દિનેશ લાલ યાદવે કહ્યું કે, તેનું કારણ એવું છે કે, વર્ષ 1962માં યુદ્ધમાં રેઝાંગલા ચૌકી પર 124 આહીર જવાનો તૈનાત હતા, જેમણે 100 અને 200 નહીં પણ 3 હજાર ચીની સૈનિકોને માર્યા હતા અને ચીને એવું પણ કહ્યું હતું કે, આ અતિ વીર છે, તેમને હરાવવા મુશ્કેલ છે.

About chanchal bhuj bhuj

Check Also

પાકિસ્તાનમાં 2 બ્લાસ્ટ,28નાં મોત:બલૂચિસ્તાનમાં થયેલા બંને બ્લાસ્ટમાં પહેલામાં 15 અને બીજામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા

પાકિસ્તાનની ચૂંટણીના એક દિવસ પહેલાં બલૂચિસ્તાનમાં બે બ્લાસ્ટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »