વારંવાર આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓને મોટો ફટકો પડશે. રાજસ્થાનમાં રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાન નહિ ખૂલે. તેની જવાબદારી પોલીસ અધિકારીઓની રહેશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ નિર્ણય લીધો છે.
પ્રદેશમાં માફિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે. તેને કારણે સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. મુખ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, જમીનના કેસ વધી રહ્યાં છે. ભૂમાફિયા, દારૂ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.
હવે આ અભિયાન તેજ ગતિથી વધારવા કહેવાયું છે. તો બીજી તરફ, અમારી સરકારે રાતે 8 વાગ્યા બાદ દારૂની દુકાનો બંધ કરવાનો નિર્ણય લીધો હતો, તેીન સારી અસર પડી છે