Breaking News

રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત

રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. પાલીમાં દેસૂરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાછેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચુ કારણ હજી જાણી શકાયું નથી.માહિતી અનુસાર જેવી જ બસ પલટી કે બાળકોએ ચીસાચીસ મચાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને પણ ઘટના વિશે જાણ કરી હતી. માહિતી અનુસાર આ બાળકો સ્કૂલ પ્રવાસે જઇ રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

9 મહિના અવકાશમાં વિતાવ્યા બાદ સુનીતા વિલિયમ્સની પૃથ્વી પર વાપસી, જાણો સંપૂર્ણ શેડ્યૂલ – NASA

હૈદરાબાદ: નાસાએ પુષ્ટિ કરી છે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર નવ મહિનાથી ફસાયેલા બે અમેરિકન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?