27
માત્ર 12 કલાકના સમયગાળામાં બે ટ્રેન દુર્ઘટનાના અહેવાલ મળ્યાં. જેમાં યુપીના ઈટાવામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. અહીં દિલ્હીથી સહરસા જતી 12554 નંબરની વૈશાલી એક્સપ્રેસમાં આગ લાગી ગઇ હતી. પેન્ટ્રી કાર નજીકના કોચ S6માં આ ઘટના બની હતી. જેમાં લગભગ 19 મુસાફરો ઘવાયાની માહિતી મળી છે. જોકે ઘટના પાછળનું કારણ હજું જાણી શકાયું નથી. રેલવે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે.

