Breaking News

એક્સપ્રેસ-વે પર બસમાં ભયંકર આગ લાગતા 25 યાત્રિકો જીવતા ભૂંજાયા, 8ની હાલત ગંભીર

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં મધરાત્રે 2 વાગ્યે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ બુલઢાણામાં સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર એસી બસ પલટી ગયા બાદ તેમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 મુસાફરોના મોત થયા છે. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા. આ તરફ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માત બાદ સિટી લિંક ટ્રાવેલ્સની બસમાં ભીષણ આગ ફાટી નીકળી ગયા બાદ બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 25 મુસાફરોના મોત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમે બસમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે.

બુલઢાણાના એસપી સુનીલ કડાસેનરે જણાવ્યું કે, આ દુર્ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગે થઈ હતી. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા, જેમાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બસનો ડ્રાઈવર સુરક્ષિત છે. તેણે જણાવ્યું કે, બસનું ટાયર ફાટવાથી બસ પલટી ગઈ અને બાદમાં બસમાં આગ લાગી.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »