લગ્ન ઉપરાંત ગૃહ પ્રવેશ, જનોઈ, મુંડન જેવાં શુભ કાર્યો માટે બે માસ રાહ જોવી પડશે

ફેબ્રુઆરી માસમાં લગ્નનું માત્ર એક જ મુહૂર્ત (શુભ દિવસ) એટલે કે ૨૮ ફેબ્રુઆરી જ બાકી રહ્યો છે. ત્યાર બાદ લગ્નનાં આયોજનો માટે લોકોને રાહ જોવી પડશેઆ વર્ષે માર્ચમાં હોળાષ્ટક અને મીનારક માસ રહેશે, એટલે સૂર્ય, ગુરુની રાશિ મીનમાં રહેશે. જ્યારે આ સ્થિતિ બને છે. ત્યારે લગ્ન કરી શકાય નહીં તેવું મનાય છે.  એપ્રિલમાં ગુરુ અસ્ત થઈ જશે એટલે આ બંને મહિનામાં લગ્ન મુહૂર્ત રહેશે નહીં.  ત્યાર બાદ ૪ મે ૨૦૨૩થી લગ્ન માટે મુહૂર્ત ફરી શરૂ થઈ જશે. જે ૨૭ જૂન સુધી રહેશે. તેના એક દિવસ પછી ૨૯ જૂનના રોજ દેવશયની એકાદશી રહેશે, આ દિવસથી ચાર મહિના માટે ફરી બધાં જ માંગલિક કાર્યો બંધ થઈ જશે.

વસંત પંચમી, અખાત્રીજ, દેવઊઠી અગિયારશ, અને નવા ટ્રેન્ડ મુજબ વેલેન્ટાઈન ડે વણજોયાં શુભ મુહૂર્ત ગણાય છે.

About chanchal bhuj bhuj

Check Also

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »