વોટચોરીના મુદે ‘સોગંદનામું આપવું પડશે, માફી માંગવી પડશે’- ચૂંટણી પંચ

by JAYENDRA UPADHYAY
0 comments

ચૂંટણી પંચ તરફથી એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં બિહારમાં સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવીઝન (SIR)ની પ્રોસેસ પર ઉઠાવવામાં આવેલા સવાલ અને વોટ ચોરીના આરોપો પર જવાબ આપ્યો છેચૂંટણી પંચે કહ્યું કેઅમારા માટે ના કોઇ પક્ષ છે અને ના તો વિપક્ષ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે આરોપોને ફગાવી દીધા છે. ચૂંટણી પંચે રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોનો જવાબ આપતા કહ્યું કે, 7 દિવસમાં સોગંદનામું આપો અથવા દેશની માફી માંગો.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે કોઇ પણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છેતેમણે કહ્યું કે વોટ ચોરી જેવા શબ્દોનો ઉપયોગ ખોટો છેઆવી ઘટનામાં કોર્ટમાં અરજી દાખલ કરવી જોઇતી હતીતેમણે કહ્યું કે વોટર્સની તસવીરનામ અને ઓળખ સાર્વજનિક રીતે બતાવવામાં આવી જે ખોટું છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે બિહારથી SIRની શરૂઆત થઇ અને આ પ્રક્રિયામાં વોટર લિસ્ટને સુધારીને તમામ પક્ષને ફોર્મેટની યાદી આપવામાં આવી જેના પર તમામ પક્ષના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર સાથે સ્વીકાર કર્યો હતો.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યુંલોકસભા ચૂંટણીની પ્રક્રિયામાં એક કરોડ કરતા વધુ કર્મચારી, 10 લાખ કરતા વધુ બુથ લેવલ એજન્ટઉમેદવારોના 20 લાખથી વધુ પોલિંગ એજન્ટ કામ કરે છેઆટલા બધા લોકો સામે આટલી પારદર્શી પ્રક્રિયામાં શું કોઇ મતદાર વોટ ચોરી કરી શકે છે?’

મુખ્ય ચૂંટણી કમિશનરનું કહેવું છે કે કેટલાક નેતાઓએ ડ્યૂલ વોટિંગનો આરોપ લગાવ્યોજ્યારે પુરાવા માંગવામાં આવ્યા તો કોઇ જવાબ ના આપ્યોઆવા જૂઠા આરોપોથી ના તો ચૂંટણી પંચ અને ના તો કોઇ મતદાર ડરે છેજ્યારે ચૂંટણી પંચના ખભા પર બંદૂક રાખીને ભારતના મતદારોને નિશાન બનાવી રાજકારણ રમવામાં આવી રહ્યું છે તો આજે ચૂંટણી પંચ આ સ્પષ્ટ કરવા માંગે છે કે ચૂંટણી પંચ નિડર થઇને કોઇ ભેદભાવ વગર ગરીબઅમીર વૃદ્ધમહિલાયુવા સહિત તમામ વર્ગ અને તમામ ધર્મના મતદારો સાથે પહાડની જેમ ઉભુ હતુંઉભુ છે અને ઉભુ રહેશે.

You may also like

Leave a Comment