જમ્મુ કાશ્મીરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. માંજકોટ વિસ્તારના ગ્લુટી ગામમાં આર્મી પોસ્ટ પર તૈનાત એક જવાન પર આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં એક જવાન ઇજાગ્રસ્ત બન્યા છે. અહી નોંધનિય છે કે, આ અંગે સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જ્યારે સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા.જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલાની ઘટનાને લઈ સુરક્ષાદળો પણ જવાબ આપી રહ્યા છે. આ ફાયરિંગ દરમિયાન એલર્ટ સિક્યોરિટી પોસ્ટ પર તૈનાત જવાને પણ આતંકીઓ પર ગોળીબાર કર્યો હતો. માહિતી પ્રમાણે આ ઘટના સવારે 3.50 કલાકે બની હતી. અંધારાનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. સેના અને પોલીસે આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ અંગે સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.આ પહેલા જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જ્યારે સેનાએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા. આ પહેલા સેનાને બે અલગ-અલગ જગ્યાએ આતંકીઓની હાજરીની માહિતી મળી હતી. આ પછી સેનાએ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટર અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે, જિલ્લાના ફ્રિસલ ચિન્નીગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.
Check Also
આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી
દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …