અરવલ્લીમાં જગન્નાથપુરીથી દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે. મોડાસાનાં સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં અથડાઈ હતી. ડભોડ-મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.
Check Also
આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી
દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …