જામનગરનાં વિરપુરમાં સાળા અને સસરાએ ભેગા મળી જમાઈને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર

by JAYENDRA UPADHYAY
0 comments

જામજોધપુર તાલુકાનાં વીરપર ગામે ધાર્મિક કાર્ય માટેલોકો ભેગા થયા હતા. જ્યાં છેલ્લા ઘણા સમયથી ચાલતા બે પરિવાર વચ્ચેનાં વિવાદને લઈ બંને પરિવાર વચ્ચે બોલાચાલી થવા પામી હતી. જે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ઘાયલ થયા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલીક ઘરે પહોંચી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હતી.

You may also like

Leave a Comment