ચૂંટણી આચાર સંબંધિત નિયમો તેમજ આદર્શ આચાર સંહિતાથી અધિકારીશ્રીઓને માહિતગાર કરવામાં આવ્યા

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને તાજેતરમાં જિલ્લાના સંકલન અધિકારીશ્રીઓ તથા નોડલ ઓફીસરો સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ભારતનાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓથી હાજર રહેલા નોડલ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિએ નોડલ અધિકારીઓને તેમની જવાબદારીઓ અંગે અવગત કર્યા હતા. ચૂંટણી પ્રચાર અર્થે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજકીય પક્ષોની બેઠક માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરી શકાશે નહીં. ઉપરાંત જાહેરનામા, સભા, સરઘસ સબબના નિયમો, વાહનોના ઉપયોગ બાબતના નિયમો, મતદાનના દિવસ અંગેના નિયમો, પોલિંગ બૂથ બાબત અંગેની જાણકારી, ખર્ચ અંગેના નિયમો તેમજ આચાર સંહિતાના ભંગ બાબતે થતી ફરીયાદ સહિતના વિવિધ મુદે અધિકારીશ્રીઓને માહિતી સાથે અવગત કરાયા હતા.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી મિતેશ પંડયા, આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારીશ્રી નિકુંજ પરીખ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઇ સહીત વિવિધ વિભાગના અધિકારીશ્રી તથા નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજની ચાણક્ય સ્કુલનું આ વર્ષે પણ દળદાર 100 ટકા પરીણામ

છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડના પરીણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતી ભુજની ચાણક્ય સ્કુલે આ વર્ષે પણ દળદાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »